Monday, January 31, 2011

ઉઘાડી રાખજો બારી.. -પ્રભાશંકર પટ્ટણી

દુખી  કે દર્દી  કે  કોઈ,  ભૂલેલા   માર્ગવાળાને
વિસામો આપવા ઘરની,  ઉઘાડી  રાખજો બારી


ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુખને દળવા
તમારા  કર્ણ  નેત્રોની,   ઉઘાડી  રાખજો  બારી


પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા
તમારા   શુદ્ધ  હ્રદયોની,  ઉઘાડી  રાખજો  બારી


થયેલા   દુષ્ટ   કર્મોના,  છૂટા   જંજીરથી  થાવા
જરા  સત્કર્મની  નાની,   ઉઘાડી  રાખજો  બારી


 -પ્રભાશંકર પટ્ટણી

No comments:

Post a Comment